વીરપુરમાં આજે પણ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં નાગ દેવતા હાજરા હજુર છે બિરાજમાન, મંદિરમાં નાગ દેવતાના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો થઇ જાય છે દૂર….

મિત્રો, ગુજરાતમાં અનેક નાના-મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરોમાં ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાનના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા દરેક દુ:ખ દૂર કરે છે, બે દિવસથી જન્માષ્ટમીના તહેવારો શરૂ થયા છે. આમ તો બે દિવસ પહેલા જ દેશભરમાં નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

રાજકોટમાં આવેલા વિવિધ નાગા દેવતાના મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આજે આપણે જલારામધામ વીરપુરમાં આવેલા આવા જ એક નાગા દેવતાના મંદિર વિશે વાત કરીશું, આ નાગા દેવતાનું મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું માનવામાં આવે છે, તેથી આ મંદિરને નાગા દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી અહપદાદાનું મંદિર ઓળખાય છે.

આ મંદિરમાં નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ભક્તો તેમના બધા જ દુઃખો દૂર કરે છે.

નાગ દેવતાના મંદિરના અનોખા મહિમાની વાત કરવામાં આવે તો આ ગામનું એક પણ ઘર પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો ખાતું નથી. આ મંદિરમાં પ્રસાદનો ખુબ જ અનોખો મહિમા રહેલો છે.

આ મંદિરના પ્રસાદ વિષે એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરનો પ્રસાદ આરોગે છે તે કોઈ પણ વ્યક્તિને આજસુધી સાપે ડંખ માર્યો નથી. તેથી નાગ પંચમીના દિવસે આખો દિવસ ભક્તો નાગ દેવતાના દર્શન કરવા માટે આવતા હોય છે, તે દિવસે મંદિરની આજુબાજુ મેળા જેવું લાગતું હોય છે.

તેથી દર વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે નાગ દેવતાની ડાક ડમરુ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને આખા ગામની મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવે છે, આથી ભક્તો મોટી સંખ્યામાં નાગ પંચમીના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *