જો ધનના કિસ્સામાં કિસ્મત સાથ નથી આપી રહી, તો દિવસ માં સવારે અને સાંજે ઘરમાં અહીંયા સળગાવો કપૂર

બધા જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા ઇચ્છતા હોય છે. માનવામાં આવે છે કે સફળતાની પ્રાપ્તિ માટે મહેનતની સાથે ધન પણ ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર કિસ્મત સાથ આપતી નથી. કિસ્મત ચમકાવવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે કેમકે વગર મહેનત એ સફળતા પ્રાપ્ત થતી નથી.

પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘણી જ મહેનત કરવા છતાં પણ સફળતા મળી શકતી નથી ત્યારે આપણે કિસ્મતની ભૂલ કાઢતા હોઈએ છીએ. આ પ્રકારની સમસ્યાઓ થી અંત મેળવવા માટે જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રકારના ઉપાયો બતાવવામાં આવ્યા છે જેમને કરીને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

જ્યોતિષવિદ્યામાં કહેવામાં આવેલા સરળ ઉપાય ઘરની વસ્તુઓ સાથે પણ કરી શકાય છે. કપૂરની સાથે કરવામાં આવેલા થોડાક ઉપાય આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ધનની ઊણપ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

25 જાન્યુઆરી એ ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ દિવસોમાં ધન સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માટે રાત થયા પછી એક કટોરીમાં બે કપૂર અને એક લવિંગ સાથે સળગાવો.

આ ઉપાયને તમારે લગાતાર સાત દિવસ સુધી કરવાનો રહેશે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓ સંપૂર્ણ રીતે પુર્ણ થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ નો વાસ થાય છે.

જો ધન ના કિસ્સામાં કિસ્મત તમારો સાથ આપી રહી નથી તો તમારા ઘરમાં સવારે અને સાંજે બે કપૂરની ગોળીઓ ઘીમા પલાળીને લગાવો. માનવામાં આવે છે કે આવું કરવાથી બંધ કિસ્મતના દરવાજા પણ ખૂલી જાય છે.

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ રહેલ હોય તો ઘરમાં કોઇપણ ખૂણામાં બે કપૂરની ગોળીઓ રાખી દો થોડાક દિવસો પછી કપૂરની ગોળીઓ જૂની થઇ જશે તો તેમને બદલીને નવી કપૂરની ગોળીઓ રાખી દો. આવું કાર્ય તમારે લગાતાર એક મહિના સુધી કરવાનું રહે છે. આવું કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ સંપૂર્ણ રીતે પૂરા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *