ગુજરાતના આ ગામના છે લવજીભાઈ બાદશાહ, 12 વર્ષના હતા ત્યારે હીરા ઘસવા આવ્યા બાદ આવી રીતે બન્યા સફળ બિઝનેસમેન…જાણો..

સુરત તમામ બાબતોમાં મોખરે છે. આજે અમે સુરતના એક બિઝનેસમેન વિશે વાત કરીશું જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સુરતના લવજીભાઈ ડાલિયા સૌથી અગ્રણી દાતા છે. જોકે લવજીભાઈની અટક ડાલિયાથી બહુ ઓછા લોકો પરિચિત છે.

પણ જો લવજીભાઈ બાદશાહનું નામ આ હોય તો તે બધાને ખબર છે. તેમની જીવનકથા આપણા બધા માટે એક શક્તિશાળી સંદેશ છે. લવજીભાઈનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો અને સુરતના બાદશાહ બન્યા હતા એ ન ભૂલશો.

લવજીભાઈનો જન્મ ભાવનગરના નાનકડા ગામ સેંજલિયામાં થયો હતો. તેમનો પરિવાર આર્થિક રીતે સુરક્ષિત ન હતો અને જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે હીરા કાપવા માટે તેઓ સુરત આવ્યા હતા. તેણે ચાર વર્ષ પછી હીરા પીસવા માટે નાના પાયે કારખાનું શરૂ કર્યું.

બાદમાં તેમણે અવધ ગ્રુપના નામથી પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. લવજીભાઈ મહેનતુ અને આત્મવિશ્વાસ ધરાવતા હતા. આજે આપણે તેમના પ્રયત્નોના પરિણામો જોઈ શકીએ છીએ.

આ સિવાય તેઓ જ્યાર થી ધનવાન બન્યા છે ત્યાર પછી લવજીભાઈએ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કર્યું છે જેમાં દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચે છે.

લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.

તેમના આજે સંઘર્ષ ની વાત કરીએ તો વર્ષ 1984માં હીરાની મજૂરીથી કરેલી. પછી બે ઘંટી લઇને નાનું કારખાનું શરૂ કર્યું. 25 હજારની નુકશાની થઇ અને એક સંબંધીએ કહ્યું, કમિશન આપીશ-તમે કારખાનું સંભાળો. કારખાનું સંભાળી લીધું અને 1990માં 25 હજારનાં કર્જામાંથી મુક્ત થયા અને વર્ષ 1993-1994 સુધી નોકરી કરી.

દરેક ધંધો અપનાવેલ એટલે. કાપડની દુકાન શરૂ કરી. વલસાડથી વાપી સુધી દરેક મીઠાઇની દુકાનમાં માવો સપ્લાય કરતા. ઘણું બધું કરી જોયું પણ બધામાં નિષ્ફળ ગયો. મિત્રોએ એક રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે મકાન બનાવીને વેચો તો નોકરી કરતાં વધારે સારું મળે…મેં નક્કી કરી લીધું કે હું પણ આવું કરું.

નોકરી છોડી દેવી એક સાહસ હતું-કારણ કે મારી પાસે મૂડી ન્હોતી. ત્યારે મિત્રોએ પૈસા આપ્યા અને મેં મકાન બનાવીને વેચવાનું શરૂ કર્યું. બસ પછી તો તેઓ આ કામમાં સફળ થયા. એક સમય એવો આવેલો કે, 25 હજારનું કરજ થયું હતું ત્યારે મારી પાસે ગજવામાં 1 રૂપિયો રહેતો અને 10 રૂપિયા ઉધાર લેતો.

પછી 1990માં બધું કરજ ચૂકવી દીધું ત્યારે એવું શીખી ગયો કે-જ્યારે 100 રૂપિયા હોય તો 10 રૂપિયા લેવા. આજે આ જ વિચારતા સાથે એક બહેતર સમાજનું સર્જન કરી શકીશું.

બાદશાહની જેમ દાન આપે છે એટલે લવજી બાદશાહ તરીકે ઓળખાય છે. મહત્વની વાત એ કે આજે તેમની પાસે અઢળક સંપત્તિ અને આલીશાન બંગલો તેમજ અનેક મિલકતો હોવા છતાં સાદગી ભર્યું જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *