આ એક કાચબો બદલી શકે છે તમારી કિસ્મત, વિશ્વાસ ન હોય તો ઘરમાં એકવાર લાવી જુઓ કાચબો અને 24 કલાકમાં થવા લાગશે તમારા બધા જ કામ પુરા…

કાચબો જીવનમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી લોકો કાચબાને ઘરમાં રાખવાનું પસંદ કરે છે કારણ કે કાચબાને ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. અને ઘરના લોકોને નકારાત્મક વિચારોથી દૂર રાખે છે અને કાચબાને ઘરમાં રાખવાથી લોકો સકારાત્મક રહે છે.

ઘરના દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. કાચબો ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. ઘરમાં કાચબો રાખવાથી યાત્રા અને ધનમાં વૃદ્ધિ થશે. અને ઘરમાં કાચબો રાખવા માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તર દિશાને સંપત્તિની દિશા માનવામાં આવે છે. કાચબો કોઈપણ ધાતુ, કાચ, માટી, લાકડાનો બનેલો કાચબો ઘરની અંદર રાખી શકાય છે.

સિક્કા સાથેનો કાચબો : આ પ્રકારનો કાચબો ઘરમાં લક્ષ્મીજીના આગમન અને શારીરિક સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે. કાચબાનો આ પ્રકાર સૌથી જૂનો છે અને થોડા વર્ષો પહેલા ખૂબ જ લોકપ્રિય હતો. આ પ્રકારના કાચબાની અંદર કાચબાની પીઠ પર સિક્કા મૂકવામાં આવે છે. આ પ્રકારના કાચબાને ઘરમાં રાખવાથી ઘરમાં પૈસાની કમી દૂર થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

માટીનો કાચબો : માટીના કાચબાને ઘરમાં રાખવાથી જીવનમાં સ્થિરતા આવે છે. આ પ્રકારના કાચબાને ઘરમાં રાખવાથી ઘરથી દૂર ગયેલી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પાછી આવે છે. આ સાથે જ આ પ્રકારના કાચબાને જીવનમાં સ્થિરતા લાવવા માટે શુભ માનવામાં આવે છે. આ પ્રકારના કાચબાને ઘરમાં રાખવાથી અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.

લાકડાનો કાચબો : ઘરમાં લાકડાનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ પ્રકારના કાચબાને ઘરના દક્ષિણ અને પૂર્વ ખૂણામાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. આ પ્રમાણે લાકડાનો કાચબો રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. લિવિંગ રૂમ અને પ્રવેશદ્વારમાં લાકડાનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ક્રિસ્ટલ કાચબોઃ ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખવાથી ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મળે છે. આ પ્રકારના કાચબાને ઘરના દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. આ પ્રકારના કાચબાને ઘરમાં રાખવાથી આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *