શિવજીના પુત્રએ બનાવ્યું હતું આ મંદિર, જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે, જાણો તેમની પાછળનું અદભુત કારણ..
આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે. આ રીતે મંદિર ડૂબવાની અને ડૂબી જવાની ઘટનાને જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં પાવે કાવી-કંબોઇ નામના ગામમાં આવેલું છે.
આ પ્રાચીન મંદિરમાં આવતા ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રનું સ્તર ઘટવાની રાહ જોવી પડે છે. દિવસમાં બે વાર દરિયામાં આવતી ભરતી આ મંદિરને તેના પાણીમાં ડુબાડી દે છે અને થોડીવાર પછી ફરી શિવલિંગ દેખાય છે. આ મંદિર અરબી સમુદ્રના કેમ્બે બીચ પર બનેલ છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું.
શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.